E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

તક્ષશિલા : બે બિલ્ડરોની જામીન અરજી પર આજે સુનાવણી

તક્ષશિલા આગ કાંડમાં ભાગેડુ સુરત મનપાના ડે. ઇજનેરની આગોતરા જામીન અરજી તેમજ જેલમાં બંધ તક્ષશિલા કોમ્પલેક્ષના બે બિલ્ડરોની જામીન અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસની વિગત મુજબ સરથાણામાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટનામાં 22 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. પોલીસે કુલ્લે 11 આરોપીઓની ધરપકડ કરી હતી. અને તમામને જેલમાં મોકલી આપ્યા હતા. તમામએ જામીન મુક્ત થવા માટે કરેલી અરજી કોર્ટે રદ્દ કરી હતી. બીજી તરફ પોલીસે 11 ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ ત્રણ ભાગેડુ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ પૈકી ભાગેડુ એવા સુરત મનપાના ડે. ઇજનેર હિમાશું ગજ્જરએ પોલીસ પકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે. જ્યારે જેલમાં બંધ તક્ષશિલા કોમ્પલેક્ષના બિલ્ડર સવજી પાઘડાળ અને હરસુલ વેકરીયાએ જામીન મુક્ત થવા માટે અરજી કરી છે. આ તમામની જામીન અરજી ઉપર આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Post Views: 6

Latest

ગઠબંધન સરકાર: જાણો મહારાષ્ટ્રમાં કોને, કયું મળ્યું મંત્રાલય
2 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી વિશ્વની આ પહેલી કંપની બની
આ બાળકી છે ભારતની ગ્રેટા થનબર્ગ, જે દુનિયાની સૌથી નાની ઉંમરની કાર્યકર્તા છે
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો પ્રવાસ રદ કર્યો, અમિત શાહની આ ટિપ્પણી છે કારણ
ઝારખંડ વિધાનસભામાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, આટલા મતો પડ્યા
બોલીવુડની આ અભિનેત્રી બની 2019ની સેક્સીએસ્ટ એશિયન મહિલા
અયોધ્યા મામલે SCમાં દાખલ કરાયેલ બધીજ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાઈ
કોઈપણ પંચે સરકારની વિરૂધ્ધમાં ક્યારેય પોતાનો અહેવાલ આપ્યો છે? આ કિસ્સામાં પણ..
હવે કાયદાની નજરમાં પત્નીના અનૈતિક સંબધો ગુનો ગણાશે નહીં, જાણો કેમ…
નાગરિકતા સુધાર ખરડામાંથી કેમ માત્ર મુસ્લિમોને જ બાકાત રાખવામાં આવ્યા? આ રહ્યા કારણ