E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

શ્રીલંકાઇ નૌકાદળ દ્વારા તામિલનાડુંના ચાર માછીમારોની ધરપકડ

તમિલનાડુના ચાર માછીમારોને શ્રીલંકાઇ નૌકાદળ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રામેશ્વરમમાં ચાર માછીમારો એક બોટમાં ડેલ્ફ્ટ આઇલેન્ડ પાસે ફરી રહ્યા હતાં. ત્યારે શ્રીલંકાના નૌકાદળના જવાનોએ તેમની ધરપકડ કરી હતી. તેમને કાંગેસથુરઇ નૌસેનાના શિબિરમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલા 28 જુલાઈએ શ્રીલંકાની નૌકાદળ દ્વારા દરિયાઇ સીમામાં માછીમારી કરવાના આરોપમાં 7 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.

રામેશ્વરમ અને કછથીબુ આઇલેન્ડ નજીકના વિસ્તારના કેટલાક માછીમારો માછલી પકડી રહ્યા હતા ત્યારે શ્રીલંકાની નૌસેનાએ માછીમારોની ધરપકડ કરીને બોટ કબજે કરી હતી. તે પહેલા 25 જુલાઈએ પણ શ્રીલંકાની નૌકાદળે ચાર ભારતીય માછીમારોને શિકારના આરોપમાં ધરપકડ કરી હતી. ફાસ્ટ એટેક ક્રાફટનાં ઉત્તરી નૈસેના કમાન્ડમાં જોડાયેલા શ્રીલંકાઇ નૈસેનાના સૈનિકોએ અવેધ શિકાર કરવાના આરોપમાં 4 માછીમારોની ધરપકડ કરી હતી. બંને દેશના માછીમારોને મોટાભાગે ભૂલથી એક બીજાનાં પ્રદેશમાં પ્રવેશવા બદલ જેલમાં નાંખી દેવામાં આવે છે. તેમની બોટોમાં આધુનિક સિસ્ટમ્સના અભાવને કારણે તેઓ ઘણીવાર આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી જાય છે.

 

Post Views: 18

Latest

ગઠબંધન સરકાર: જાણો મહારાષ્ટ્રમાં કોને, કયું મળ્યું મંત્રાલય
2 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી વિશ્વની આ પહેલી કંપની બની
આ બાળકી છે ભારતની ગ્રેટા થનબર્ગ, જે દુનિયાની સૌથી નાની ઉંમરની કાર્યકર્તા છે
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો પ્રવાસ રદ કર્યો, અમિત શાહની આ ટિપ્પણી છે કારણ
ઝારખંડ વિધાનસભામાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, આટલા મતો પડ્યા
બોલીવુડની આ અભિનેત્રી બની 2019ની સેક્સીએસ્ટ એશિયન મહિલા
અયોધ્યા મામલે SCમાં દાખલ કરાયેલ બધીજ 18 પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાઈ
કોઈપણ પંચે સરકારની વિરૂધ્ધમાં ક્યારેય પોતાનો અહેવાલ આપ્યો છે? આ કિસ્સામાં પણ..
હવે કાયદાની નજરમાં પત્નીના અનૈતિક સંબધો ગુનો ગણાશે નહીં, જાણો કેમ…
નાગરિકતા સુધાર ખરડામાંથી કેમ માત્ર મુસ્લિમોને જ બાકાત રાખવામાં આવ્યા? આ રહ્યા કારણ