યુજીસીઍ યુનિવર્સિટીઅોને ૨૯ સપ્ટેમ્બરને સર્જિકલ સ્ટ્રાઈક ડે તરીકે ઉજવવા પરિપત્ર જારી કરતાં આજે રાજકીય વિવાદ સર્જાયો હતો. પડ્ઢિમ બંગાળમાં શાસન પક્ષ ટીઍમસીઍ કહ્ના હતું તે આનું પાલન કરશે નહીં અને કોંગ્રેસ સાથે મળીને આરોપ લગાવ્યો હતો આ ભાજપના રાજકીય ઍજેન્ડાનો ભાગ છે, જા કે કેન્દ્રનું કહેવું છે આમં રાજકારણ નહીં પણ દેશભક્તિ છે. કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્ના હતું પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ત્રાસવાદી જૂથો પર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાંઠની ઉજવણી યુનિવર્સિટીઅો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો માટે ફરજીયાત નથી. સલાહ આપતું પરિપત્ર યુનિવર્સિટીઅોને જારી કરાયેલો આદેશ નથી. ઉજવણી માટે નિવૃત્ત જવાનો દ્વારા સેનાના જવાનોઍ કરેલા બલિદાન અંગે ચર્ચા સત્ર આયોજિત કરવા, ઍનસીસી દ્વારા ખાસ પરેડ કરવી અને પ્રદર્શનીઅોની મુલાકાત લેવી જેવા કાર્યક્રમો આયોજિત કરવાનો પ્રસ્તાવ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા કરાયો હતો. પડ્ઢિમ બંગાળના શિક્ષા પ્રધાન પાર્થા ચેટર્જીઍ સેનાનું રાજકારણ કરવા બદલ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને કહ્ના હતું શિક્ષણ સંસ્થાનો યુજીસીના નિર્દેશો સાથે બંધાયેલા નથી. ભાજપ ચૂંટણી પહેલાં પોતાનો ઍજન્ડા આગળ વધારવા યુજીસીનો ઉપયોગ કરી રહ્ના છે જે શર્મજનક છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વ્યંગાત્મક રીતે કહ્ના હતું યુજીસીઍ ૮ નવેમ્બરને સર્જીકલ સ્ટ્રાઈક તરીકે ઉજવવો જાઈઍ જે દિવસે નોટબંધી કરવામાં આવી હતી. યુજીસીઍ સમસ્ત યુનિવર્સિટીઅોને ૨૯ સપ્ટેમ્બરને સર્જીકલ સ્ટ્રાઈક ડે તરીકે ઉજવવાના નિર્દેશ આપ્યા છે. શું તેનો અર્થ શિક્ષા આપવી છે અથવા ભાજપના રાજકીય હિતની સેવા કરવાનો છે.