E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં બે ગોળી મારી હત્યા

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે . જયંતી ભાનુશાળી સોમવારે રાત્રે ભૂજથી બાંદ્રા જતી સયાજી નગરી ટ્રેનમાં એસી કોચમાં હતા અને અમદાવાદ આવી રહ્યા હતા. સયાજી નગરી ટ્રેન જ્યારે માળિયા પાસે પહોંચી ત્યારે કેટલાક શખ્સોએ એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આંખ અને છાતીના ભાગે ગોળી વાગતા ભાનુશાળી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જયંતી ભાનુશાળીનું પોસ્ટ મોર્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે અને અમદાવાદમાં જ જયંતી ભાનુશાળીની અંતિમક્રિયા પણ કરવામાં આવશે.

 

 

પોલીસ દ્વારા જયંતી ભાનુશાળી સાથે એસી ફર્સ્ટ ક્લાસમાં રહેલા સહ પ્રવાસી પવન મૌર્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પવન મૌર્યને મા‌ળિયા પાસે જ ઉતારી લીધો હતો. પોલીસ દ્વારા આ હત્યાની તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો કે હાલમાં આ હત્યાના અહેવાલ રાજ્ય સહિત દેશભરમાં પ્રસરતા આખરે હત્યા કોણે કરાવી તેની ચર્ચાઓ થઈ રહી છે.

Post Views: 24

Latest

અરબી સમુદ્રમાં એક સદીના સૌથી વધુ સાયક્લોનિક ડિસ્ટર્બન્સ આ વર્ષે દેખાયા
પર્લ હાર્બર પર અમેરિકી નૌસનિકનો ગોળીબાર: હુમલાખોર સહિત 3નાં મોત
રિઝર્વ બેન્કે જીડીપી વિકાસદરનો અંદાજ ઘટાડીને પ ટકા કર્યો: રેપો રેટ ઘટાડા પર બ્રેક
સાઉથ એશિયન ગેમ્સ : ભારતે ગુરૂવારે એક જ દિવસમાં 50 મેડલ જીત્યા
ભારત-વેસ્ટઇન્ડિઝ સિરીઝમાં નો બોલની જવાબદારી થર્ડ અમ્પાયર પર
માલ્યા બાદ મુંબઇ કોર્ટ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કર્યો
નાગરિકતા સંસોધન ખરડો 9 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાશે
કાંદા નોન-વેજ? મોદીનાં મંત્રીઓ શાકાહારી છે એટલે કાંદાના ભાવ નથી ખબર!
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને વિધાનસભાની બહાર ઉભા રહેવું પડયું
નાસાનું પાર્કર સોલાર પ્રોબ યાન સૂર્ય અંગેના અનેક રહસ્યો છતાં કરે છે